મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો


SHARE









મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો

મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, મૃતક યુવાન નવલખી ફાટક પાસે રહેતો હતો.યુવાન કેનાલમાં પાણી પીવા ગયો હતો ત્યારે લપસી પડવાને કારણે ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબીના નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની બાજુમાં રહેતો સંજયભાઇ વિનુભાઇ જસમુલીયા નામનો ૨૦ વર્ષીય યુવાન ત્રણેક દિવસ પહેલા ઉંચી માંડલ ગામે હતો અને તે કેનાલના કાંઠે પાણી પીવા જતી વખતે અચાનક પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. અગાઉ જ્યારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો ત્યારે મોતનું કારણ અકબંધ હતું. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડીમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ સી.એમ.કરકર તથા રાઇટર હરસુખભાઈ દ્વારા તે ગુનામાં સંડોવાયેલા કેતન લાલજી સંઘાણી (૩૨) રહે.ઘુંટુ તા.મોરબી તથા સંદીપ માવજીભાઈ મેરજા (૪૩) રહે.મહેન્દ્રનગર તા.મોરબી સામે ધોરણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નાગડાવાસ ગામની પાસે ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં અજીતસિંહ નવલસિંહ ઝાલા (૩૯) રહે.પાવન પાર્ક શેરી નંબર-૫ સામાકાંઠે મોરબી-૨ ને ઈજાઓ થઈ હોય આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની સરતાનપર ચોકડી પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઢીલાભાઈ ઉમરભાઈ ચાડમિયા (૩૦) અને સામેના પક્ષેથી સંજય લેવીજભાઇ મંડુરીયા (૩૦) રહે.ટીટા ચોકડી સરતાનપર ને ઇજા થયેલી હોય તે બંનેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા






Latest News