મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE











મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ ૨૦૦૨ માં નજીવી રકમ માટે મિત્રની નિર્મમ હત્યા કરીને છેલ્લા ૨૪ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ડીસીબી ક્રાઈમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ નજીક વર્ષ ૨૦૦૨ માં કાલીચરણ નામના એક વ્યક્તિની માથામાં ધોકો ફટકારીને હત્યા કરવામાં આવી હતી. અને તેનો મર્ડરનો ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૦૨ માં નોંધાયેલ હતો. આ ગુનામાં મરણ જનારનો મિત્ર કે જેણે નજીવી રકમ માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.તે છેલ્લા ૨૪ વર્ષથી ફરાર હતો ! તેને સુરત ડીસીબી ક્રાઈમએ પકડ્યો હતો અને હાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરતા મોરબી તાલુકા પોલીસે વર્ષ ૨૦૦૨ માં નોંધાયેલ મર્ડરના ગુનોમાં ગંગારામ છોટા દિલા ચત્તર (ઉંમર વર્ષ ૫૨) મૂળ રહે.વોર્ડ નંબર ૨/૩ ભરબરીયા ગામ થાના મંજરી જિલ્લો પશ્ચિમ સિંહપૂરી ઝારખંડ હાલ રહે.પાવું બસ્તી સુરારામ કોલોની હૈદરાબાદને ગુનાના કામે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ચોકડી નજીક થોડા સમય પહેલા ટ્રક પલટી મારી જવાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રદીપભાઈ વિકાસભાઈ (૪૫) મૂળ રહે.રાજસ્થાન હાલ મોરબી નામના યુવાનનું મોત થયું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના કડીયાણા ગામના કરશનભાઈ બચુભાઈ મજેઠીયા નામનો ૪૭ વર્ષનો યુવાન વવાણીયા ગામેથી માળીયા તરફ જતા હતા.ત્યારે રસ્તામાં વાહન અકસ્માત થતા ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News