મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો


SHARE











મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલા સગીરા અપહરણ કેસમાં સહ આરોપી કેજે છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.તેને પકડી પાડવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, નવનિયુક્ત પીઆઇ એન.એસ.ઘેટીયા તથા સ્ટાફ દ્વારા વર્ષ ૨૦૧૭ માં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં હાલમાં દેબાંસીસ ઉર્ફે દેવાસીસ ઉર્ફે કાનો મદનભાઈ બારીક (૨૮) રહે.કુડિયાના પોસ્ટ જમાલપુર તા.બોસી જી. બાલેશ્વર ઓરિસ્સાની ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ ગુનામાં અગાઉ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સહ આરોપી તરીકે મદદગારી કરનાર દેવાંસીસ બારીક છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.જેને થોડા સમય પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા સાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા મોરબી પોલીસ સ્ટાફ દ્વારા તેની નિયામાનુસાર ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી પરત તેમના ઘરે નવી સીરોઇ ગામે જતા વખતે મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા નામના ૫૦ વર્ષના આધેડનું બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત બનાવમાં ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી સામાકાંઠે ધરમપુર પાસે આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા દયાબેન બચુભાઈ દેગામા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને ઘર નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબી સામાકાંઠે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ આંબેડકર કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૪૨ વર્ષીય યુવાન તેઓના ઘર નજીક કેતનભાઇના ઘર પાસે કામ કરતા હતા ત્યારે કામ દરમિયાન પહેલા માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથા અને શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયેલ છે.બનાવ સંદર્ભે નોંધ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે






Latest News