મોરબી વાંકાનેર રોડે સરતનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા
SHARE
મોરબી વાંકાનેર રોડે સરતનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સરતનપર રોડના ખૂણા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપરથી નાસી છૂટેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી નિશાળ પાસે ઢેઢીની વાડીમાં રહેતા ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (45)એ કાર નંબર જીજે 10 સીએમ 7694 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરતાનપર રોડ ઉપર મોરબી વાંકાનેર હાઇવેના ખૂણા પાસેથી તેઓ તથા પ્રભુભાઈ બાઈક નંબર જીજે 36 એએન 0912 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન પાછળથી ઓવરટેક કરતાં વખતે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને જમણા પગે તથા ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થયેલ છે જ્યારે પ્રભુભાઈને કમરના મણકામાં ઇજા થયેલ છે અને કાર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દુકાનના ગ્રાહક બાબતે મારામારી
મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સી ખાતે રહેતા કૃણાલ અનિલભાઈ પંડ્યા નામના ૨૦ વર્ષના યુવાનને માર મારવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેણે મકરાણીવાસ વિસ્તારના રહેવાસી હુસેન મકરાણી, જાકીર ફકીર અને ટોની નામના ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વીસી ફાટક નજીક તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. દુકાનના ગ્રાહક બાબતેની બોલાચાલીનો રોષ રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમ તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના રણછોડનગર વિસ્તારમાં ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં અલ્કાબેન કિશોરભાઈ પારેખ (૪૨) અને સુમિત કિશોરભાઈ (૨૨) નામના માતા-પુત્રને ઇજા થતા બંનેને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.