મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ


SHARE







મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, મોરબી જિલ્લામાં તા ૮/૪ ના રોજ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. જેથી ખેડૂતો, વેપારીઓ અને ખેતપેદાશ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે.

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં, ખેતરમાં રહેલા ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ જણાવાયું છે. માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારી મિત્રોને પણ પોતાની જણસો સુરક્ષિત રાખવા અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસો લાવવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા જણાવાયું છે. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ પોતાના ગોડાઉનમાં જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News