મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ


SHARE











ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ

ટંકારાના મોટા રામપર ગામે આવેલ નારીચાણીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હનુમાન જયંતિના દિવસે મંદિરમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના, હનુમાન ચાલીસા પાઠ અને વિશેષ આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને ભક્તોએ તેનો લાભ લીધો હતો. અને મંદિર પરિસરમાં કરવામાં આવેલ સજાવટ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ ઉજવણી દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ સહકાર આપવામાં આવ્યો હતો. તેમ જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવતએ જણાવ્યુ છે.






Latest News