મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે


SHARE











મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે

મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્યને સિરામિક ઉદ્યોગકારે હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે પૈસા પાછા માંગતા ઉદ્યોગકાર ઉપર ભાજપના આગેવાને હુમલો કર્યો હતો અને જે બનાવમાં ઉદ્યોગકાર અને તેના મિત્રને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે તાત્કાલિક આરોપી અજય લોરીયાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજય મનસુખભાઈ લોરીયાને ઘણા સમયથી હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા જે પૈસા પાછા લેવા માટે શેખરભાઈએ અજયને ફોન કર્યો હતો અને ત્યારબાદ રવિવારે રાત્રિના 11:30 વાગ્યે અજયએ શેખરભાઈને શનાળા રોડે ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવેલ હતા જેથી શેખરભાઈ તેના મિત્ર જયેશભાઈ પાડલીયાને સાથે લઈને ઇનોવા ગાડીમાં ત્યાં ગયા હતા ત્યારે શેખરભાઈ કશું જ સમજે તે પહેલા અજય લોરીયાએ લોખંડની ખીલી વાળો ધોકો લઈને શેખરભાઈ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવ સંદર્ભે શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય મનસુખભાઈ લોરીયાની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી અજય મનસુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી અને તેની મર્સિડીઝ ગાડી, ધોકો, કપડાં અને મોબાઈલ ફોન વિગેરે મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપી અજય લોરીયાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે. તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છે કે, શેખરભાઈને અજય લોરીયાએ ભારત ટ્રાન્સપોર્ટના ડેલમાં બેલવેલ હતા જેથી તે પોતાના મિત્ર સાથે ત્યાં ગયા હતા ત્યારે અજય લોરીયાએ લોખંડના ખીલા વાળો ગાડીમાંથી કાઢીને તે ધોકો વડે શેખરભાઈ અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો જે બનાવમાં જયેશભાઈને માથાના ગંભીર ઇજા થતાં 12 થી વધુ ટાંકા આવ્યા હતા અને શેખરભાઈને બંને હાથમાં ફ્રેકચર અને શરીરે ઇજાઓ થઈ હતી.






Latest News