મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE











મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસના પાંચમા માળે યુવાન સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે અને માથામાં ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના માધાપરા શેરી નં-24 માં રહેતા ગણેશભાઈ માવજીભાઈ પરમાર (40) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસમાં ઉપરના માળેથી કોઈ પણ કારણોસર નીચે પટકાતા તેને શરીરે તેમજ માથામાં ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બધા અંગેની આગળની વધુ તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન પાંચમા માળે સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકયો હતો જેથી તેનું મોત નીપજયું છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ટિંબડી ગામના પાટીયા પાસે રહેતો ઉસ્માન અનવરભાઈ (22) નામનો યુવાન શ્રીરામ પ્લાઝા નજીક ટ્રકમાં તાલપત્રી બાંધતો હતો ત્યારે ઉપરથી નીચે ટકાતા તેને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કરણ વાલજીભાઈ વાઘેલા (25) નામના યુવાનને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી ઇજાપામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યારે વાહન અકસ્માતના બનાવમાં મહેન્દ્રનગર ગામે રહેતા કેશવજીભાઈ ચંદુભાઈ ફુલતરીયા (50) નામના આધેડને પણ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News