ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ્ ફેઝ-૨ અન્વયેવ  ૨૩ માર્ચથી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વંદે માતરમ્ @ ૧૫૦ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોના સુચારૂ સંચાલન માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન તથા ૨૫ માર્ચના યોજાનાર પદયાત્રા રેલી માટે રૂટ મેનેજમેન્ટ, પીવાના પાણી તથા આરોગ્ય ટીમ સહિતની સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તા. ૨૩ માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. ૨૪ માર્ચે જિલ્લાની શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ્નું સામૂહિક ગાન કરવામાં આવશે. અને વિશેષ રૂપે, તા. ૨૫ માર્ચના રોજ મોરબી શહેરમાં મણીમંદિર થી મીરબી મહાનગર પાલિકા કચેરી સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, તા. ૨૬ માર્ચના રોજ શાળા-કોલેજોમાં ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો સહભાગી બનવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News