મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન


SHARE











મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન

મોરબીમાં ગુરુવારે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. અને મોટાભાગના કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન આ કમોસમી વરસાદ પહેલાના ભારે પવનના લીધે થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલ છે અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી 450 જેટલા સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે જોકે ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલ ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઇ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં કારખાનાઓ આવેલા છે તેમાંથી મોટાભાગના સિરામિક કારખાનાઓમાં ગુરુવારે ભારે પવનના કારણે શેડના પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે, સદનસીબે હાલમાં કારખાના બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાની થયેલ નથી.

વધુમાં માહિતી આપતા સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ જણાવ્યુ હતું કે, ખેતી અને ઉદ્યોગ બંનેમાં ભારે પવનના લીધે નુકશાન થયું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો જુદાજુદા વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનામાંથી ઘણા કારખાનામાં શેડના પતરાં તૂટી કે પછી ઊડી ગયા છે જેથી કરીને પ્રત્યેક કારખાનેદારને હાલમાં 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન થયું છે.






Latest News