હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન


SHARE













મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન

મોરબીમાં ગુરુવારે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેથી મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. અને મોટાભાગના કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન આ કમોસમી વરસાદ પહેલાના ભારે પવનના લીધે થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલ છે અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી 450 જેટલા સિરામિકના કારખાનાઓ બંધ થઈ ગયા છે જોકે ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલ ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઇ છે ત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં કારખાનાઓ આવેલા છે તેમાંથી મોટાભાગના સિરામિક કારખાનાઓમાં ગુરુવારે ભારે પવનના કારણે શેડના પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે, સદનસીબે હાલમાં કારખાના બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાની થયેલ નથી.

વધુમાં માહિતી આપતા સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ જણાવ્યુ હતું કે, ખેતી અને ઉદ્યોગ બંનેમાં ભારે પવનના લીધે નુકશાન થયું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો જુદાજુદા વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનામાંથી ઘણા કારખાનામાં શેડના પતરાં તૂટી કે પછી ઊડી ગયા છે જેથી કરીને પ્રત્યેક કારખાનેદારને હાલમાં 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન થયું છે.






Latest News