મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે નવા ભલગામ થી જુના ભલગામ તરફ જવા માટે યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા આશિષભાઈ જગુભાઈ બેડવા (23) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભલગામ પાસે રામદેવપીરના મંદિર નજીક જે કટ આવેલી છે ત્યાંથી વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર સીટી બાજુ જવા માટેનો જે રસ્તો છે તે રસ્તા ઉપરથી ફરિયાદીના પિતા જગુભાઈ હમીરભાઇ બેડવા નવા લગામથી જુના ભલગામ તરફ પોતાના ઘરે ચાલીને આવી રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ડફેટે લેતા ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મારામારીમાં ચાર લોકોને ઇજા

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પવન નાનુરામ માલવીયા (28), વિશાલ હેમરાજ માલવીયા (18), રચના રાહુલભાઈ પરમાર (28) અને જતીન પરમાર નામના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News