મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી


SHARE











મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી

મોરબીમાં આવલે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો.ઓર્ડિનેટર શિક્ષક ઉપઆચાર્ય એવા અરવિંદભાઈ કૈલાના પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થવાથી અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી પુત્ર-પુત્રવધુ, દિકરી-જમાઈ વગેરેના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે, એ મુજબ અત્યાર સુધીમાં 6 વખત ભોજન અર્પણ કરેલ છે અને આજ રોજ તમામ બાળાઓ ચિત્ર દોરી શકે એ માટે ચિત્રપોથી અર્પણ કરી હતી.






Latest News