મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી
SHARE
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી
મોરબીમાં આવલે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો.ઓર્ડિનેટર શિક્ષક ઉપઆચાર્ય એવા અરવિંદભાઈ કૈલાના પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થવાથી અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી પુત્ર-પુત્રવધુ, દિકરી-જમાઈ વગેરેના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે, એ મુજબ અત્યાર સુધીમાં 6 વખત ભોજન અર્પણ કરેલ છે અને આજ રોજ તમામ બાળાઓ ચિત્ર દોરી શકે એ માટે ચિત્રપોથી અર્પણ કરી હતી.