વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો


SHARE











મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે સનમાઈકાના કારખાના લેબર કવાટર પાસે કારખાનામાં મજુરીકામ કરતા દંપતીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠા આવેલ બૌધ્ધનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડીયા અને તેમના પત્ની ગૌરીબેન (ઉંમર ૩૦) લાલપર ગામ પાસે આવેલા રેઇન્બો લેમીનેટસ નામમા સનમાઈકાના કારખાનામાં મજુરી કામ કરે છે જયાં તા.૨૩-૧૨ ના સવારે દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી સારવાર લીધા બાદ ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પતિ વાલજીભાઈએ સંજય વણોલને કહ્યું હતું કે કારખાનામાં કામે આવતી છોકરીઓ બાથરૂમ કરવા જાય ત્યારે તું કેમ પાછળ જાય છે..? તેથી ઉશ્કેરાઈ જઈને સંજય વણોલે તેમના પતિ વાલજીભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતા અને માર માર્યો હતો તે દરમ્યાન પોતે વચ્ચે છોડાવવા પડતાં સંજય વણોલ અને જયદીપ વણોલે બંનેને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો જયારે દિનેશ પટેલે દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા હતા.હાલ ગૌરીબેનની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે જેની એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી છે.






Latest News