મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો


SHARE







મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે સનમાઈકાના કારખાના લેબર કવાટર પાસે કારખાનામાં મજુરીકામ કરતા દંપતીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠા આવેલ બૌધ્ધનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડીયા અને તેમના પત્ની ગૌરીબેન (ઉંમર ૩૦) લાલપર ગામ પાસે આવેલા રેઇન્બો લેમીનેટસ નામમા સનમાઈકાના કારખાનામાં મજુરી કામ કરે છે જયાં તા.૨૩-૧૨ ના સવારે દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી સારવાર લીધા બાદ ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પતિ વાલજીભાઈએ સંજય વણોલને કહ્યું હતું કે કારખાનામાં કામે આવતી છોકરીઓ બાથરૂમ કરવા જાય ત્યારે તું કેમ પાછળ જાય છે..? તેથી ઉશ્કેરાઈ જઈને સંજય વણોલે તેમના પતિ વાલજીભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતા અને માર માર્યો હતો તે દરમ્યાન પોતે વચ્ચે છોડાવવા પડતાં સંજય વણોલ અને જયદીપ વણોલે બંનેને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો જયારે દિનેશ પટેલે દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા હતા.હાલ ગૌરીબેનની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે જેની એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી છે.






Latest News