મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો


SHARE











મોરબીના લાલપરમાં લેમીનેટ કારખાનામાં કામે જતી છોકરીઓ બાથરૂમ જતી હોય ત્યાં પાછળ કેમ જાય છે..? તેમ કહેતાં મજૂર દંપતીને માર પડયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે સનમાઈકાના કારખાના લેબર કવાટર પાસે કારખાનામાં મજુરીકામ કરતા દંપતીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠા આવેલ બૌધ્ધનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડીયા અને તેમના પત્ની ગૌરીબેન (ઉંમર ૩૦) લાલપર ગામ પાસે આવેલા રેઇન્બો લેમીનેટસ નામમા સનમાઈકાના કારખાનામાં મજુરી કામ કરે છે જયાં તા.૨૩-૧૨ ના સવારે દશેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી જેથી સારવાર લીધા બાદ ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પતિ વાલજીભાઈએ સંજય વણોલને કહ્યું હતું કે કારખાનામાં કામે આવતી છોકરીઓ બાથરૂમ કરવા જાય ત્યારે તું કેમ પાછળ જાય છે..? તેથી ઉશ્કેરાઈ જઈને સંજય વણોલે તેમના પતિ વાલજીભાઈની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતા અને માર માર્યો હતો તે દરમ્યાન પોતે વચ્ચે છોડાવવા પડતાં સંજય વણોલ અને જયદીપ વણોલે બંનેને ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો જયારે દિનેશ પટેલે દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત  કર્યા હતા.હાલ ગૌરીબેનની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે સંજય વણોલ, જયદીપ વણોલ અને દિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે જેની એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી છે.






Latest News