વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર ગામે કારખાનામાં કામ કરતા ભાઇને મળવા આવેલ બાળક બીજા માળેથી નીચે પટકાતાં મોત


SHARE











મોરબીના જીવાપર ગામે કારખાનામાં કામ કરતા ભાઇને મળવા આવેલ બાળક બીજા માળેથી નીચે પટકાતાં મોત

મોરબી તાલુકાના જીવાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટના લેબર કવાટરમાં બીજા માળેથી અકસ્માતે નીચે પડી જવાથી ગંભીર ઇજાઓ થતાં પરપ્રાંતીય મજૂર પરિવારના બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક પોતાના વતનમાંથી પોતાનો મોટો ભાઈ અહીં કામ કરતો હોય કારખાનામાં તેને મળવા અને અહીં મોરબી ફરવા માટે આવ્યો હતો તે દરમિયાનમાં આવો ગોઝારો બનાવ બનતાં તેને સારવાર માટે રાજકોટ લઇ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીવાપર ગામે આવેલા લુફટેન સિરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ રહે.રકબાકુલમાપરી તા.તમકુરીરાજ પો.સ્ટે.સોયરહી જી.કુશીનગર ઉત્તરપ્રદેશના વતની પરપ્રાંતિય મજુર પરિવાર સાથે કવાટરમાં રહેતો સુજીત ગયાભાઇ કુશ્વાહા જાતે આદિવાસી (ઉ.વ.૧૩) જીવાપર ગામની સીમમાં આવેલ લુફટેન સિરામીકના લેબર કવાટરમાં તા.૨૪ ના બપોરે સાડા બોરેક વાગ્યે બીજા માળેથી અકસ્માતે નિચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા સમર્પણ હોસ્પીટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રોજકોટ લઇ જતા રસ્તામાં જ સુજીતનું પ્રાણપંખેરૂ ઉડી જતા મૃતદેહને રાજકોટ સિવિલે ખસેડાયો હતો.ત્યાંથી કાગળો આવતા બનાવ બાબત નોંધ કરીને તાલુકા પોલીસ મથકના હેડકોન્સટેબલ એ.એમ.ઝાપડીયાએ તપાસ હાથ ધરેલ છે. જયારે હળવદ તાલુકાના રાયસંગપર ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં વિનોદ કાનજીભાઈ ચૌહાણ નામના ૪૪ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

પરપ્રાંતિય મહીલા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં સ્વીટ સીરામીકના લેબર કવાટરમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સેડગાબાઇ રામલાલ પૂરતી નામની ૧૯ વર્ષીય પરપ્રાંતિય મહિલાને સારવાર માટે સામેકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડાઇ હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સેડગાબાઇ નામની પરપ્રાંતીય મજૂર મહિલા બ્લેડ વડે પોતાના નખ કાપી રહી હતી અને તે નાખ કાપતા સમયે દિવાલ ઉપર બેઠી હતી તે દરમિયાનમાં તેણી દિવાલ ઉપરથી નીચે પડી જતા ગળાના ભાગે બ્લેડનો છરખો લાગી જતા તેણીને ઈજા થઈ હતી અને જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી..!






Latest News