મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને મારમાર્યો મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન કટ મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત મોરબીના લડાયક-લોકપ્રિય નેતા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય માટે આજે હનુમાન ચાલીસાના સમૂહગાનનું ઠેરઠેર આયોજન મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત જોખમી ચોરી !: ટંકારાના સાવડી ગામ નજીક ચાલુ વીજ લાઇનમાંથી કાપીને 1800 મીટર એલ્યુમિનિયમ વાયર લઈ ગયા મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં વરલી જુગારની પાંચ રેડ
Breaking news
Morbi Today

મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન કટ


SHARE













મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન ક

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી. તેવામાં છેલ્લા દિવસોમાં વેરો નહીં ભરનારા 88 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે અને 2 આસામીના નળ કનેક્શન કટ કર્યા છે.

મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી કરવામાં આવે છે અત્યાર સુધીમા કુલ 634 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 26,54,90,700 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 2,53,13,352 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 24 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકત હોય તેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન કટ કરવામાં આવ્યું છે. અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કટ કરવામાં આવશે.






Latest News