મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રફાળેશ્વર ગામે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા આવે તે જરૂરિ છે જેથી કરીને જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીને તેના માટે લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન આર. પટેલ સહિતના આગેવાનોએ તાજેતરમાં જિલ્લા પંચાયના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર હાલમાં છે. જ્યારે જાંબુડીયાની હદમાં આવતું રફાળેશ્વર ગામ ત્યાંથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં આજની તારીખે અંદાજિત પાંચ હજારની વસ્તી છે અને અહીં મજૂર વર્ગની વસ્તી વધુ છે. ત્યારે લોકોના આરોગ્યની સુવિધામાં વધારો થયા તે માટે રફાળેશ્વર ગામે જ નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી ગ્રામજનો વતી માંગ કરી છે.






Latest News