મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ
મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ
SHARE
મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ
મોરબી શહેરના વોર્ડ નંબર- ૨ ના રોહીદાસ પરામાં આવેલ ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઈ જાય તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા અને ભરતભાઇ અમૃતિયા સહિતના પરિવારજનો તેમજ તેમની સાથે ખંભેથી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનાર સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાની તબિયત ઝડપથી સારી થઈ જાય અને એકદમ સ્વસ્થ થઈ મોરબી પરત આવે તેના માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી