મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા કવચ: તા. ૨૮ ફેબ્રુઆરીથી ૯,૫૦૦ કિશોરીઓ માટે ‘HPV રસીકરણ’ અભિયાનનો પ્રારંભ


SHARE













મોરબી જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા કવચ: તા. ૨૮ ફેબ્રુઆરીથી ૯,૫૦૦ કિશોરીઓ માટે ‘HPV રસીકરણ’ અભિયાનનો પ્રારંભ
૧૪ વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: સ્ટ્રેટજીક એક્શન પ્લાન તૈયાર
 

મોરબી જિલ્લાની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે મજબૂત રક્ષણ પૂરું પાડવા માટે સમગ્ર દેશ ને ગુજરાત રાજ્યની સાથે આગામી તા. ૨૮/૦૨/૨૦૨૬થી ‘HPV રસીકરણ’ જિલ્લાવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષ પૂર્ણ કરનાર અંદાજીત ૯,૫૦૦ દીકરીઓને આ રક્ષણાત્મક રસી આપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.

આ રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સુદ્રઢ ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે. આશા કાર્યકરો દ્વારા હેડ કાઉન્ટ સર્વે કરી ૧૪ વર્ષની તમામ દીકરીઓની ઓળખ કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતી તેમજ શાળા બહારની તમામ દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સલામત છે અને ગર્ભાશયના મુખના કેન્સરથી દીકરીઓને સુરક્ષિત કરે છે. રસી મેળવવા માટે દીકરીના માતા-પિતા કે વાલીનું સંમતિ પત્રક અનિવાર્ય રહેશે.

નોંધનીય છે કે, જે દીકરીઓ બીમાર હોય, અગાઉ કોઈ એલર્જી કે રિએક્શનની સમસ્યા હોય અથવા અગાઉ રસી લીધેલ હોય તેમને આ રસી આપવાની રહેશે નહીં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ દ્વારા તમામ વાલીઓ, શાળા સંચાલકો અને સામાજિક અગ્રણીઓને અપીલ કરવામાં આવી છે કે, પોતાની દીકરીઓને આ રસી અપાવી કેન્સર સામે સુરક્ષિત બનાવવા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે. વધુ માહિતી માટે નાગરિકોએ નજીકના આરોગ્ય કર્મચારી અથવા આશા કાર્યકરનો સંપર્ક કરવાનો રહેશે. રસીકરણ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરાવશે, જેના અનુસંધાને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોલા હોસ્પિટલ, અમદાવાદથી રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ કરાવશે






Latest News