મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના ૧૪ વર્ષના વિક્રાંત મહેતાએ અતિ કઠોર ગણાતુ ઉપધાન તપ પરીપૂર્ણ કર્યુ


SHARE







ટંકારાના ૧૪ વર્ષના વિક્રાંત મહેતાએ અતિ કઠોર ગણાતુ ઉપધાન તપ પરીપૂર્ણ કર્યુ

પારણાનો લાભ ટંકારાને મળતા સમસ્ત જૈન જૈનેતરે દેરાસર ખાતે અનુમોદના કરી

આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે ઉપધાન તપ જેમા સંસારી મોહ માયા ત્યજી મોક્ષ માર્ગે પ્રથમ પગથિયે પગલાં માંડવા પ્રયાણ થાય છે. આ ઉપધાન તપમાં ૪૭ દિવસ અખંડ આરાધના, એક ઉપવાસ એક નિવી (એક ટાણું) કરી જપ, સ્વાધ્યાય અને ભક્તિ કરવામાં આવે છે. એક લાખ નવકાર મંત્રનો જાપ, સાત હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, દોઢ હજાર શક્રસ્તવનો પાઠ, હજારો ખમાસણા, ૨૧ ઉપવાસ, દશ આયંબિલ અને સોળ નીવિ હોય છે. ૪૭ દિવસ સ્નાન કે કોઈ સ્ત્રી-પુરુષને અડી પણ શકતા નથી સુર્યોદયથી સુર્યોસ્ત સુધી પાણી પીવાનુ હોય છે અને સાધુ જીવન પ્રમાણે નિત્યક્રમ રહે છે. 

આવા તપના આરાધક ૧૪ વર્ષીય ટંકારાના વિક્રાંત મિતેષભાઈ મહેતાએ પ.પૂ. ગુરુભગવંત આચાર્ય દેવશ્રી બંધુ બેલડી જિનચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા.સા. અને હેમચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા.સા.ની નિશ્રામા અયોદયાપુરમ તિર્થ ખાતે પરીપૂર્ણ કર્યુ છે.જેને સૌ ટંકારા તાલુકાના જૈન-જૈનેતરો ટંકારા પધારતા અને પારણાનો લાભ મળતા અનુમોદના કરવા અને ભાગ્યશાળી આત્માના દર્શન કરવા પહોચ્યા હતા.તો માતા નિશાબેન અને પિતા મિતેષભાઈ મહેતાના લાડકવાયા વિક્રાંતે કઠોર તપ માનુ એક ઉપધાન તપ પુર્ણ કરતા ટંકારા જૈન દેરાસર ખાતે ધાર્મિક પ્રસંગની માફક ઉજવણી કરવામાં આવી હતી.






Latest News