હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા


SHARE













મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા

મોરબીમાં શનાળા રોડ ઉપર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં બંને આરોપીઓ સગીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જો કે, સગીર દ્વારા યુવાનની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સગીરના કાયદામાં જરૂરી સુધારા કરીને આ કેસમાં સોની પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે

 ગુજરાત પ્રદેશ  ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં મોરબી શહેરના પોષ વિસ્તાર એવા શનાળા રોડ ઉપર સામાન્ય બાબત જેવી કે સાઈડ માટે હોર્ન મારવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને સોની યુવાનની હતી કારમાં આવેલ છે જેથી 11 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ ખરેખર ખુબજ ગંભીર અને વખોડવા લાયક છે. આ બનાવને તેઓએ સખ્ત શબ્દોમા વખોડી કાઢેલ છે. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓ સગીર છે. અને તે સગીર હોવાથી પોલીસ કે કોર્ટ તેની સામે કોઈ કડક પગલા કે સજા કરી શકે નહી. તેવું લોકોમા ચર્ચાઇ રહ્યું છે. આ બનાવમા આરોપીઓ સગીર છે. પરંતુ શું ? નજીવી વાતમાં યુવાનની હત્યા કરવામાં આવેલ છે અને 11 મહિનાની દીકરીએ તેના પિતાને ગુમાવ્યા છે તે વાતની ગંભીરતાને ધ્યાને લઈને સોની પરિવારને ન્યાય મળે તેમજ સમાજમાં ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકે તેવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કરીને નિર્ભયાકાંડ બન્યા પછી મનમોહનજીની સરકાર દ્વારા કાયદામાં સુધારા કરીને પોસ્કોનો કાયદો બનવામા આવ્યો છે તે રીતે આવા કેમા પણ કડક સજા થાય તેવો કાયદો બનાવવામાં આવે અને આવું કૃત્ય કરનાર સગીર હોય તો પણ તેને કડકમા કડક સજા થાય તેવો સુધારો કાયદામાં કરવા માટેની માંગ કરી છે. અને આ માટે જો સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો મોરબીમા ઘરે ઘરેથી આવી માગણી  કરાવવા માટે મુહિમ ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News