ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે રવિવારે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરશે


SHARE











ટંકારાના લખધીરગઢ ગામે રવિવારે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરશે

ટંકારાના લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર સ્વ. વાઘજીભાઈ બોડાની કાયમી યાદગીરી રહે તે માટે તેઓના વતન લખધીરગઢ ગામમાં લખધીરગઢ ગામ સમસ્ત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વાઘજીભાઈ બોડાની પ્રતિમા મૂકવામાં આવશે તેનું અનાવરણ આગામી તા. ૨/૧/૨૨ ને રવિવાર કરવામાં આવશે

કાર્યક્રમના અધ્યક્ષ ક્રુભકોના ચેરમેન ડોક્ટર ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના હાજર રહેશે અને ત્યારે વાઘજીભાઈ બોડાર્ની પ્રતિમાનું અનાવરણ દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવશે અને અતિથી વિશેષ તરીકે ડો.બીજેન્દ્રસિંઘ, મોહનભાઈ કુંડારિયા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, લલીતભાઈ કગથરા, ઘનશ્યામભાઈ અમીન, મગનભાઇ વડાવીયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, ડો. ડાહ્યાભાઇ પટેલ, અરવિંદભાઈ તાગડિયા, મહંમદ જાવીદભાઈ પીરઝાદા, ગોરધનભાઈ ધામેલીયા, મગનભાઈ ઘોણીયા, પ્રવીણભાઈ રૈયાણી, દલસુખભાઈ વી. પટેલ સહિતના ઉપસ્થિત રહેશે તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો, સભ્યો ટંકારા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમનું આયોજન સમસ્ત લખધીરગઢ ગામ સમસ્ત શ્રી વેલીબા વાડી ખાતે કરવામાં આવ્યું છે અને રવિવાર તા ૨ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે કાર્યક્ર્મ યોજાશે અને રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક શૈલેષ મહારાજ, ભજનીક નરેશભાઈ મિસ્ત્રી, સાહિત્યકાર હેમુભાઈ મીર, હાજી રમકડુ તથા સાજિંદા કલાકારો લોક ડાયરો રજુ કરશે.






Latest News