મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા


SHARE













મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા

મોરબી મહાપાલિકાની ફુડ શાખાએ  શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય કલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવતા સ્થળ પર જ ફૂડ શાખાએ નાશ કર્યો હતો. અને ફૂડ લાઇસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર 32 ખાણી-પીણીના ધંધાર્થીને મોરબી મહાપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ સપ્તાહ દરમિયાન મોરબી મહાપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરના કુલ 56 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી,  જેમાં રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઇસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વછતા અને ફૂડ લાઇસન્સ સહિતના મુદે 32 જેટલા ખાણી-પીણીના ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.

જો કે, જે.કે. હોટલમાં વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર આવેલ શિવ પાંવભાજીમાંથી વાસીખોરાકનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો, તેમજ રવાપર રોડ પર આવેલ વિરાટ પાંઉભાજી તથા ગુરુકૃપા પાંઉભાજીમાંથી વધુ પડતો અખાધ કલર જોવા મળતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, રવાપર રોડ પર આવેલ ભવાની સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થ મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે.








Latest News