મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ


SHARE













વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ

 

મોરબીમાં માનવ સેવાના કાર્યો માટે જાણીતા 'માતુશ્રી સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવત ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા સંચાલિત ફ્રી ટિફિન સેવા દ્વારા એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.આગામી તારીખ ૨૫-૨ ને બુધવારના રોજ માતુશ્રી સ્વ.નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવતની ૧૯ મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના રામાનંદી સમાજના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો માટે 'વડીલ વંદના' અને સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમાજના મોભીઓનું સન્માન કરી જ્ઞાતિજનોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તેવા ઉમદા હેતુ સાથે યોજવામાં આવ્યો છે.

આ ભવ્ય સન્માન સમારંભ આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર રોડ પર આવેલી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાશે, ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજક વિનોદભાઈ ભાણદાસભાઈ નિમાવત દ્વારા રામાનંદી સમાજના તમામ જ્ઞાતિજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વ્યવસ્થાના ભાગરૂપે, સન્માન મેળવનાર ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોએ સામા કાંઠે મુકેશભાઈ કુબાવત (મો.૯૮૭૯૫૨૬૬૯૯), રામાનંદ ટ્રાવેલ્સ ખાતે દીપકભાઈ કુબાવત (મો.૯૪૨૭૨૩૬૭૯૭) અથવા નાની વાવડી ખાતે અરૂણાબેન ધૂન મંડળવાળા (મો.૭૫૬૭૫૧૪૧૨૭) પાસે નામ નોંધાવી દેવા જણાવાયું છે.વધુ વિગત માટે આયોજક વિનોદભાઈ નિમાવત (મો.૬૩૫૨૭ ૦૨૭૯૩) નો સંપર્ક કરી શકાશે.








Latest News