મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













હળવદના ગોલાસણ ગામે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

હળવદના ગોલાસણ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને ઘરની નાની નાની બાબતોમાં તેના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પત્નીએ છોકરા રાખવાનું યુવાનને કહ્યું હતું. જે બાબતે યુવાનને લાગી આવ્યું હતું જેથી તે યુવાન વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો માટે તેને સારવારમાં પ્રથમ હળવદ અને ત્યાંથી મોરબી સુધી લાવ્યા હતા જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં હસમુખભાઈ માણાવદરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુરસિંહભાઈ કેકડિયાભાઈ ધાણક (43) નામના યુવાને વાડીએ હતો ત્યારે ત્યાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે હળવદને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પત્ની ઉર્મિલાબેન સુરસિંગભાઈ ધાણક (40) રહે. હાલ ગોલાસણ હળવદ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની ઉર્મિલાબેન સાથે ઘરની નાની નાની બાબતોએ બોલાચાલી થતી હોય તેના પત્ની છોકરા રાખવાનું યુવાનને કહેતી હતી જેથી મનમાં લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ રેનબસેરા પાસે રહેતા જનકભાઈ નટવરલાલ પંડ્યા નામના ૬૫ વર્ષના આધેડને બીમારી ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલીવારસ ન હોય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ માળીયા ખાતે રહેતા માણેકબેન સુરેશભાઈ દલવાડી નામના ૩૦ વર્ષના મહિલાને તબેલા પાસે મારામારીના બનાવમાં ઈજા થતા માણેકબેનને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાળકી સારવારમા
મોરબીના રવાપર ગામે આલાપ રોડ ખોડીયાર પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની ધ્યાના રવિભાઈ વાંસદડિયા નામની આઠ વર્ષની બાળકી પિતા સાથે બાઈકમાં જતી હતી ત્યારે રસ્તામાં પડી ગઈ હોય સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે મહાવીરનગર વિસ્તારમાં રહેતા રામસજીવનભાઈ અસરફીભાઈ યાદવ નામના ૫૮ વર્ષના વૃદ્ધને મારામારીના બનાવના ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News