મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE











ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે આર્ય સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે અને આજથી બે દિવાસીય કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે જેમાં આજે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ત્યાર બાદ ટંકારાના મુખ્ય માર્ગો ઉપરથી આર્ય સમાજની વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા. 

ટાંકરામાં શતાબ્દી મહોત્સવ નિમિતે આજથી બે દિવાસીય કાર્યક્ર્મ શરૂ થયો છે અને આજે પહેલા દિવસે સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ત્યાર બાદ શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મહિલા, બાળકો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ખાસ કરીને વિવિધ ટેબ્લોઅગ્નિહોત્ર રથ અને વીરંગના દળ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર હતા. આ મહોત્સવમાં સ્વામી શાંતાનંદજીમુનિ. સત્યજીતજી અને આચાર્ય આર્ય નરેશજી વિગેરે પ્રખર વિદ્વાનો અને સંતો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણીસત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વ્યાખ્યાન યોજાશે. ત્યાર બાદ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.  

 કાર્યક્રમમાં શ્રોતાઓ માટે આત્મનિરીક્ષણ કસોટી’ જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને કાલે છેલ્લા દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ થશે. અને શતાબ્દી મહોત્સવના સમાપન સત્રમાં મુનિ. સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.






Latest News