મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી


SHARE















મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી

મોરબીનો પાડા પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને તાત્કાલિક રીપેર કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ જી. પીપરવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સાડા ત્રણ વર્ષ પહેલા ઝુલતાપુલની દુર્ઘટના બની હતી જેને મોરબીવાસીઓ ભૂલ્યા નથી ત્યા આવી બીજી કોઈ દુર્ઘટના મોરબીમાં ન બને તેની તકેદારી રાખીને મોરબીમાં આવેલ પાડા પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યાં કોઈ જાનહાનિ  થાય તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 15 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News