મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી


SHARE







મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી

મોરબીનો પાડા પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને તાત્કાલિક રીપેર કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ જી. પીપરવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સાડા ત્રણ વર્ષ પહેલા ઝુલતાપુલની દુર્ઘટના બની હતી જેને મોરબીવાસીઓ ભૂલ્યા નથી ત્યા આવી બીજી કોઈ દુર્ઘટના મોરબીમાં ન બને તેની તકેદારી રાખીને મોરબીમાં આવેલ પાડા પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યાં કોઈ જાનહાનિ  થાય તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 15 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News