મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ઇમ્પેક્ટની અરજી કરનારા આસામીઓ ઘટતા દસ્તાવેજ રજૂ ન કરે તો હવે આગળની કાર્યવાહી કરાશે


SHARE











મોરબી મનપામાં ઇમ્પેક્ટની અરજી કરનારા આસામીઓ ઘટતા દસ્તાવેજ રજૂ ન કરે તો હવે આગળની કાર્યવાહી કરાશે

મોરબીમાં મંજૂરી વગર આગાઉ કરવામાં આવેલ બંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અરજી કરેલ છે જો કે, ઘણા અરજદારોની અરજીમાં દસ્તાવેજ ઘટે છે તેને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અગાઉ મંગાવવામાં આવ્યા હતા જો કે, તે આપવામાં આવેલ નથી જેથી કરીને આસામીઓને બીજી વખત પત્ર આપીને ઘટતા દસ્તાવેજ મંગાવવામાં આવેલ છે હવે જો આસામીઓ દ્વારા દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે તો મહાપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી અરજી કરેલ છે તેમાં ૧૯૭૧ ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવેલ છે પરતું જે અરજદારોએ જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવીને બીજી તક આપવામાં આવેલ છે. જેથી કરીને અરજદારો પાસેથી માંગવામાં આવેલ બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવામાં આવશે પછી જે તે બાંધકામને રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ. મલ્ટીપ્લેક્ષ, થિયેટરમાં નોટિસ આપવામાં આવેલ છે તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને શહેરના આયોજનબદ્ધ વિકાસ, કાયદેસર બાંધકામ તથા નાગરિકોની સુરક્ષા માટે મહાપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી લોકોને તેમાં સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા મહાપાલિકા દ્વારા અનુરોધ કર્યો છે.






Latest News