ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું


SHARE











પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું

મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ફલેટમાં રહેતા વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તે વૃદ્ધનું બ્રેનડેડ થવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના દીકરા અને પરિવારજનો દ્વારા વૃદ્ધની બંને કિડની તથા લીવરનું અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના થકી અન્ય લોકોને નવજીવન મળશે.

મૂળ મોરબી નજીકના પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ઓપેરા સ્ક્વેર એપાર્ટમેંટના ફ્લેટમાં રહેતા કાંતિલાલ સવજીભાઈ જેઠલોજા (61) નામના વૃદ્ધ અચાનક પોતાના ઘરે ઢળી પડ્યા હતા ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું બ્રેનડેડ થવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ અને ત્યાર બાદ વૃદ્ધના દીકરા નવદિપભાઈ જેઠલોજા સહિતના પરિવારજનો દ્વારા કાંતિલાલ જેઠલોજાના અંગદનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતેથી ખાસ ટીમ રાજકોટ હોસ્પિટલે પહોંચી હતી અને ત્યારબાદ કાંતિલાલના લીવર અને બંને કિડનીનું આંગદાન કરવામાં આવ્યું હતું જેને તાત્કાલિક સ્પેશિયલ કોરિડોર મારફતે રાજકોટથી અમદાવાદ સુધી અંગોને લઈ જવામાં આવેલ છે અને તેને અન્ય દર્દીમાં ટ્રાન્સફર કરવાથી અન્ય વ્યક્તિને નવજીવન મળશે તેવી લાગણી મૃતક વૃદ્ધના દીકરા સહિતના પરિવારે લાગણી વ્યક્ત કરી હતી.






Latest News