મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું


SHARE











પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું

મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ફલેટમાં રહેતા વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તે વૃદ્ધનું બ્રેનડેડ થવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના દીકરા અને પરિવારજનો દ્વારા વૃદ્ધની બંને કિડની તથા લીવરનું અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના થકી અન્ય લોકોને નવજીવન મળશે.

મૂળ મોરબી નજીકના પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ઓપેરા સ્ક્વેર એપાર્ટમેંટના ફ્લેટમાં રહેતા કાંતિલાલ સવજીભાઈ જેઠલોજા (61) નામના વૃદ્ધ અચાનક પોતાના ઘરે ઢળી પડ્યા હતા ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું બ્રેનડેડ થવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ અને ત્યાર બાદ વૃદ્ધના દીકરા નવદિપભાઈ જેઠલોજા સહિતના પરિવારજનો દ્વારા કાંતિલાલ જેઠલોજાના અંગદનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતેથી ખાસ ટીમ રાજકોટ હોસ્પિટલે પહોંચી હતી અને ત્યારબાદ કાંતિલાલના લીવર અને બંને કિડનીનું આંગદાન કરવામાં આવ્યું હતું જેને તાત્કાલિક સ્પેશિયલ કોરિડોર મારફતે રાજકોટથી અમદાવાદ સુધી અંગોને લઈ જવામાં આવેલ છે અને તેને અન્ય દર્દીમાં ટ્રાન્સફર કરવાથી અન્ય વ્યક્તિને નવજીવન મળશે તેવી લાગણી મૃતક વૃદ્ધના દીકરા સહિતના પરિવારે લાગણી વ્યક્ત કરી હતી.






Latest News