મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE











મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ડોક્ટરો માટે 'ડો. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિ તબીબી લોન/સહાય યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા ડોક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ MD અથવા MS ની અનુસ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૩,૦૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. ઉપરાંત MBBS, BAMS, BHMS, BDS જેવી ડિગ્રી કે ડિપ્લોમાની સ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૨,૫૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૨૫,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી કર માર્ગદર્શન માટે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોરબીનો સંપર્ક કરવા અનુસૂચિત  જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News