મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત


SHARE











ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત

ટંકારા નજીક નશીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના : પાંચેક દિવસની સારવારમાં આરતીબેને રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

 

ઠંડી વધી રહીં છે ત્યારે લોકો તાપણું કરતા હોય છે અથવા આગ જુવે ત્યાં શરીર શેકવા લાગતા હોય છે ત્યારે ટંકારા નજીક નશીબપર ગામ પાસે કારખાનામાં ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં પાંચેક દિવસ ચાલેલી સારવાર બાદ તેણીએ સારવારમાં દમ તોડી દીધો હતો.

મળતી વિગત અનુસાર, આરતીબેન દશરથભાઈ કદમ (55, રહે.લુંજન ફેક્ટરી, નસીબપર ગામ, ચાચાપર રોડ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ ઉપરોક્ત કંપનીના રૂમમાં જ્યાં તે પરિવાર સાથે રહેતી હતી ત્યાં ગેસના ચૂલાની આગમાં હાથ પગને શેકી તાપણુ કરતી હતી ત્યારે મોબાઈલમાં ફોન આવતા, ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા આગની જાળ સાડીમાં લાગી જતા આખા શરીરે દાઝી ગઈ હતી.

જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, આરતીબેનને સંતાન 3 દીકરા અને 1 દીકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલિયરના વતની છે. આરતીબેનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો






Latest News