મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ઘરના ક્લેશના લીધે યુવાન ઘરેથી જતો રહ્યો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીની સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો છેલ્લા નવેક દિવસથી પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર બહાર જતો રહ્યો હતો અને તેનો ફોન બંધ આવતો હોવાથી યુવાન ગુમ થયો હોવા અંગેની હાલમાં તેના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોધ કરીને યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરેલ હતી અને યુવાન ઘરના કલેશના લીધે ઘરેથી જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે

 મોરબીના સામાકાંઠા વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામના રહેવાસી હિંમતલાલ અંબાલાલ શ્રીમાળી જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૫) એ પોતાનો દીકરો ભાવદિકભાઈ હિંમતલાલ શ્રામાળી (૧૯) ગત તા.૧૮-૬ થી પોતાના ઘરે કોઇને કશું જ કહ્યા વગર જતો રહેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને તેના પિતા હિંમતભાઈએ પોતાનો દીકરો ભવદિ ગુમ થયા હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેના આધારે બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી હતી અને હાલમાં તે હેમખેમ મળી આવ્યો છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક જ ઘરમાં યુવાનના બહેન હિનાબેન, યાસોમતિબેન અને રાકેશભાઈ જુદા રહેતા હતા જે તેને ગમતું ન હતું જેથી કરીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો






Latest News