મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે


SHARE











મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે

મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર વેપારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વેપારીઓએ મહાપાલિકા કચેરી ખાતે જઈને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી અને આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ વિવિધ સંગઠનોની મિટિંગ કરીને મહાપાલિકાના નિયમો અને દંડ વિષેની ખાતરી આપવામાં આવશે તેવી અધિકારી ખાતરી આપી હતી ત્યાર બાદ વેપારીઓએ રસ્તો ખુલ્લો કર્યો હતો.

આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોરબીના તખતસિંહજી રોડ, ગાંધીચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુખ્યમાર્ગની આજુબાજુમાં દુકાનદારો દ્વારા પોતાની દુકાનની બહાર માલસામાનના પથારા કરવામાં આવ્યા હતા તેમાંથી કેટલાક વેપારીઓનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો જેથી રોષે ભરાયેલ વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ વેપારીઓમાં મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાર જઈને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને વેપારીઓનો જપ્ત કરેલ તેઓનો માલ તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને વેપારીઓને મહાપાલિકા તરફથી જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે મહાપાલિકાએ ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે મિટિંગનું આયોજન કરશે ત્યાં મહાપાલિકાના અધિકારી હાજર રહેશે અને નિયમો અને દંડ વિષેની માહિતી આપશે તેવી ખાતરી આપેલ હતી જેથી કરીને હાલમાં વેપારીઓએ કરેલ ચક્કજામ દૂર કર્યો હતો અને રસ્તો ખુલ્લો કરવામાં આવેલ હતો






Latest News