મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો


SHARE











વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો

વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રખડા જતો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. અને સતત ધૂળની ડમરી ઊડતી હોય છે. અને આ રોડ નાના વાહન ચાલકો માટે મોતના કૂવા સામન બની ગયેલ છે. અને છેલ્લા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલા ઘણા સમયથી આ રસ્તો ઉબડ ખાબડ છે અને રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે ત્યાંથી વાહન લઈને જાય છે આટલું જ નહીં દર્દીને લઈને એમ્બ્યુલન્સમાં જતાં હોય તો દર્દીનો પણ જીવ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જતો રહે તેવી શક્યતા છે. અને સગર્ભા મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી છે. છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.






Latest News