ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો


SHARE











વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો

વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રખડા જતો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. અને સતત ધૂળની ડમરી ઊડતી હોય છે. અને આ રોડ નાના વાહન ચાલકો માટે મોતના કૂવા સામન બની ગયેલ છે. અને છેલ્લા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હોવા છતાં જવાબદાર અધિકારીઓની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલા ઘણા સમયથી આ રસ્તો ઉબડ ખાબડ છે અને રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છે જેથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે ત્યાંથી વાહન લઈને જાય છે આટલું જ નહીં દર્દીને લઈને એમ્બ્યુલન્સમાં જતાં હોય તો દર્દીનો પણ જીવ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જતો રહે તેવી શક્યતા છે. અને સગર્ભા મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી છે. છતાં તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.






Latest News