મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત


SHARE











મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત

મોરબી શહેરના લાતી પ્લોટમાં કોઈ કારણોસર આધેડ પડી જતા તેનું મોત નીપજયુ હતું જ્યારે ભડીયાદ રોડ ઉપર વણકર સમાજની વાડી પાસે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો પડ્યા બાદ તેનું મોત નીપજ્યું છે અને વાંકાનેર નજીક કારખાનાની સામેના ભાગમાં અવાવરું જગ્યામાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો છે.

મોરબીમાં રહેતા શ્રીકાંતભાઈ શિવરામભાઈ (50) નામના આધેડ મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર હતા ત્યારે ત્યાં કોઈપણ કારણોસર અકસ્માતે તે પડી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગળાફાંસો ખાઈને આપઘાત

વાંકાનેર નજીક આવેલ ફ્યુચર રિફેકટરીમાં રહેતા અક્ષયભાઈ ભુરાભાઈ દેવધાના પત્ની લલીતાબેન અક્ષયભાઈ દેવધા (21)એ કારખાનાની સામેના ભાગમાં આવેલ અવાવરું જગ્યામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવા બાદ વૃધ્ધનું મોત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વણકર સમાજની વાડી પાસે રહેતા જેઠાભાઇ હીરાભાઈ પરમાર (60) નામના વૃદ્ધને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News