ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ


SHARE











નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યોજાયેલા 60 માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ  કોલેજિસના સાયન્સ વિભાગની બીએસસી માઈક્રોલોજીની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16 ટકા સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા બીએસસી ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારા સપનાનું મોરબીવિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દેત્રોજા શ્લોકનું સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ બીબીએ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ કરવામાં આવેલ હતો જેમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB  ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીબીએ કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની  વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી અને આ ફૂડ કાર્નિવલનું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું  નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News