મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ


SHARE











નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યોજાયેલા 60 માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ  કોલેજિસના સાયન્સ વિભાગની બીએસસી માઈક્રોલોજીની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16 ટકા સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા બીએસસી ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારા સપનાનું મોરબીવિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દેત્રોજા શ્લોકનું સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ બીબીએ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ કરવામાં આવેલ હતો જેમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB  ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીબીએ કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની  વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી અને આ ફૂડ કાર્નિવલનું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું  નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News