મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ


SHARE











મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે મહાપાલિકાના કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આગામી સમયમાં મોરબી શહેરના લોકોને સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરીને કઈ રીતે સારામાં સારી સુવિધાઓ પૂરી પાડી શકાય તેનાનું ચિંતન અધિકારીઓએ દ્વારા કરવામાં આવ્યું હતું

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આજે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌપ્રથમ એક કલાક યોગાનું સેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના જુદા જુદા પાંચ ટોપિક ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી આવતી સમસ્યાઓ અને તેના સમાધાન ઉપર ચર્ચા કરી હતી અને મોરબીના લોકોને સારામાં સારી સુવિધાઓ કઈ રીતે આપી શકાય તેના માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર અધિકારી દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોરબી શહેરના લોકોને વધુ સારી સુવિધાઓ આગામી સમયમાં કઈ રીતે આપી શકાય તેના મૂળ ઉદ્દેશ સાથે આ ચિંતન શિબિરનું આયોજન કમિશનરના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું






Latest News