મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તબીબોનું સંમેલન યોજાયું


SHARE











મોરબીની મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તબીબોનું સંમેલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબી ઇન્ડિયન મેડિકલ એશો. બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫ માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાના સુસંસ્ક્રુત વિકાસમાં તબીબોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને જ્યારે વૈશ્વિક સ્તરે મોરબીની આગવી ઓળખ છે. 

ત્યારે તબીબી ક્ષેત્રમાં પણ સુસંસ્ક્રુત વિકાસ થાય અને નિરામય રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માનનિય સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો.જ્યંતિભાઇ ભાડેસિઆ દ્વારા "Health and Nation building: legacy of Dr. Hedgewar to the modern Indian medical fraternity" વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અને આરએસએસના મોરબી જીલ્લાના બૌધિક પ્રમુખ અને પીજીવીસીએલ જેટકોના એન્જીનીયર જીતેન્દ્રભાઇ વિરમગામા દ્વારા "પંચ પરિવર્તન" વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 

સમગ્ર ભારત દેશ માટે આરોગ્ય ક્ષેત્રમાં ગૌરવ લઇ શકાય અને ભારતની આરોગ્ય ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બને તે માટે તબીબો સાથે વિષયોને આધારે વિચાર વિમર્શ ખુબજ ઉપયોગી બની રહેશે. આ હેતુસર મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 50 થી વધુ અલગ અલગ શાખાના તબીબોએ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્મમાં પ્રસ્તાવના એન.એમ.ઓ. સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ડો.વિજય ગઢિયા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા એન.એમ.ઓ.ના પ્રમુખ ડો.હિરેન સંઘાણી, મંત્રી ડો. વનરાજસીંહ, આઇ.એમ.એ.ના પ્રમુખ ડો.સુષ્મા દુધરેજીયા, મંત્રી ડો.દિપ ભાડજા તથા આયુર્વેદ, હોમીયોપેથી એશોશીયેશના પદાધિકારીઓ, મેડિકલ કોલેજના ડિન ડો.નિરજ બિશ્વાસ અને ફેકલ્ટી, સ્ટાફ, મેડિકલના વિધ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News