મોરબીની આંગડિયા પેઢીના માલિક-સંચાલકે ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે કરી 46.90 લાખની ઠગાઈ
મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સોમવારથી ત્રિદિવસીય સરદાર કથાનું આયોજન
SHARE
મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સોમવારથી ત્રિદિવસીય સરદાર કથાનું આયોજન
સામાન્ય રીતે આપણે ધાર્મિક કથાઓ જેવી કે રામકથા, ભાગવત કથાનું શ્રવણ કરતા હોઈએ છીએ, પરંતુ મોરબીના આંગણે અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત "સરદાર કથા" નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં આગામી તારીખ ૫, ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કન્યા છાત્રાલય ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન આ સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જાણીતા વક્તા શૈલેષ સગપરિયા શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને સરદાર સાહેબના દ્રઢ મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે. આ 'કથા'માં કોઈ ચમત્કારની નહિ, પણ સરદાર સાહેબના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો થશે. આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે, ત્યારે આ કાર્યક્રમ સમાજમાં નવી ચેતનાના બીજ રોપવાનો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજક નિર્શિવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા ગોપાલભાઈ ચમારડી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ રાષ્ટ્રવંદનાનો અવસર છે. જેથી મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને 'સરદાર કથા' નો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.