મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી


SHARE













મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા પૂર્વ ચેરમેનની રીટાયર્ડ સેરેમની રાખવામાં આવી હતી તેની સાથોસાથ નવા ચેરમેન તરીકે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રૂપથી જાણીતા મેઘરાજસિંહ ઝાલાની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહે છે.

મોરબીમાં આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરી, સેક્રેટરી જયેશભાઈ ટોલીયા, ટ્રેઝર ભાવેશભાઈ મહેતા તથા કારોબારીના સભ્ય નરેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ મહેતા, અશ્વિનભાઈ કડીવાર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ રંગપરીયા સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની રીટાયર્ડ સેરેમનીની ઉજવણી શરણાઈ અને બેન્ડવાજા સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારોની સહમતિથી સંસ્થાના ભીષ્મપિતામાં ગણાતા પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નવા ચેરમેન તરીકે મોરબીમાં શક્તિ મેડિકલ ગ્રુપના નામથી જાણીતા મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને તમામ સભ્યોએ આવકારી હતી

વધુમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થામાં આઠ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપેલ છે જેમના સહકારથી સંસ્થામાં સંગઠનનો પાયો મજબૂત થયો છે ત્યારબાદ નવનિયુક્ત ચેરમેન મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થાના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે સંસ્થાનું સ્લોગન “પરસ્પર પ્રેમથી પાંગરતો ભાઈચારો”એ ઉદેશથી સંગઠનની એકતા વધે એવા કાર્યો અવિરત ચાલુ રાખીશ તથા સંસ્થા માટે 24 કલાક તન, મન અને ધનથી કાર્ય કરતો રહીશ તેવી ખાતરી આપી હતી.






Latest News