મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ


SHARE













મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ

મહુવા તાલુકાના બગદાણા ખાતે રહેતા નવનીતભાઈ કોળી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ કરવામાં આવી છે જે હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા અને શહેર કોળી સેનાના યુવા પ્રમુખ માધવભાઈ લખમણભાઇ પરેશા સહિતના આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે, ગત તા. 29/12 ના રોજ નવનીતભાઈ કોળી ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને મારમારીને ગંભીર ઇજા કરવામાં આવેલ છે તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી અને પોલીસના વલણથી કેસને હલકો પાડવાનો અને દિશાહીન કરવાનો પ્રયત્ન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીઓ હાલમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે જેથી કરીને હાલમાં આવેદન પત્ર આપીને ત્રણ માગણી કરવામાં આવી છે જેમાં આ કેસની સંપૂર્ણ નવી રીતે અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ હાથ ધરવી, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કાનૂની કાર્યવાહી કરવી અને પીડિત નવનીતભાઈ કોળીને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી. જો આ ત્રણ માંગણીઓને ધ્યાને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News