ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ


SHARE











મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ

મહુવા તાલુકાના બગદાણા ખાતે રહેતા નવનીતભાઈ કોળી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ કરવામાં આવી છે જે હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા અને શહેર કોળી સેનાના યુવા પ્રમુખ માધવભાઈ લખમણભાઇ પરેશા સહિતના આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે, ગત તા. 29/12 ના રોજ નવનીતભાઈ કોળી ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને મારમારીને ગંભીર ઇજા કરવામાં આવેલ છે તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી અને પોલીસના વલણથી કેસને હલકો પાડવાનો અને દિશાહીન કરવાનો પ્રયત્ન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીઓ હાલમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે જેથી કરીને હાલમાં આવેદન પત્ર આપીને ત્રણ માગણી કરવામાં આવી છે જેમાં આ કેસની સંપૂર્ણ નવી રીતે અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ હાથ ધરવી, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કાનૂની કાર્યવાહી કરવી અને પીડિત નવનીતભાઈ કોળીને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી. જો આ ત્રણ માંગણીઓને ધ્યાને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News