મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE











મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ નજીક મેટાડોર રીપેર કરતા હતા અને મેટાડોર અચાનક ચાલુ થઈ ગયું હતું અને આધેડના પગ ઉપરથી ફરી ગયું હતું જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી નજીકના નાનીવાવડી ગામે શિવવિલામાં રહેતા વિનોદભાઈ ચકુભાઈ ઠોરીયા (50) નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે મેટાડોર રીપેર કરતા હતા ત્યારે અચાનક તે મેટાડોર ચાલુ થઈ જતા આધેડાના પગ ઉપરથી તેનું વ્હીલ ફરી ગયું હતું જેથી ઈજા પામેલા હાલતમાં આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ એન્જલ સિરામિક ખાતે રહેતા મોહસીન રસીદભાઈ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઈજા

મોરબી નજીક આવેલ નેપોલિયન સીરામીકમાં રહેતા સોનીદેવી બ્રિજેશભાઈ શાહ (25) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News