ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન


SHARE











મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપ સામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુબાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા) તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ શિવ કથા તા.4 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે અને કથાનો સમય સવારે 9 થી બપોરે 12:30 કલાક સુધીનો રહેશે.

કથા પૂર્વે તા.3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3 કલાકે યજમાનના નિવાસસ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા દરમિયાન તા.8 ના રોજ રાત્રે 8 થી 12 કલાકે અરૂણોદયનગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે. તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. અને શિવકથા અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે. જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન અહીંના વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા સર્વે શ્રધાળુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News