મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન


SHARE











મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપ સામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુબાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા) તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ શિવ કથા તા.4 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે અને કથાનો સમય સવારે 9 થી બપોરે 12:30 કલાક સુધીનો રહેશે.

કથા પૂર્વે તા.3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3 કલાકે યજમાનના નિવાસસ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા દરમિયાન તા.8 ના રોજ રાત્રે 8 થી 12 કલાકે અરૂણોદયનગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે. તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. અને શિવકથા અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે. જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન અહીંના વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા સર્વે શ્રધાળુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News