મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા


SHARE













મોરબીના સાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા

મોરબી તાલુકાના સાપર ગામ પાસે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર કેનાલનું પાણી ઘૂસી ગયું હતું જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવણી કરેલા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ અંગેની અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપર તસ્દી લેતા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાંથી અવારનવાર પાણી ઓવરફ્લો થાય અને ખેડૂતોના ખેતરમાં જાય આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના શાપર ગામ પાસે પ્રસાદ મિનરલ્સની પાછળના ભાગમાંથી માઈનોર કેનાલ પસાર થાય છે અને તે માઈનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી અને કેનાલમાં પાણી છોડતા પહેલા કેનાલને સાફ કરી ન હોવાથી પાણી કેનાલમાંથી ઓવરફલો થઈને આસપાસના વિસ્તારમાં આવેલ ખેડૂતોના ખેતરો જાય છે જેથી ખેતીના ખેતરોમાં જે જુદાજુદા પાકનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં આ કેનાલનું પાણી ઘૂસી ગયું છે જેથી ખેડૂતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવી માહિતી હાલમાં સાપર ગામના અજયસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે વધુમાં તેમને જણાવ્યું હતું કે આ અંગેની જાણ કરવા માટે થઈને તેઓએ અધિકારીનો ફોન ઉપર સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ અધિકારીઓએ તેમના ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે આ કાયમીની પીડામાંથી ખેડૂતોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય બતાવશે. અત્રે ઉલ્લેખની છે કે ગત વર્ષે ચોમાસામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તેવામાં આવી રીતે કેનાલો ઓવરફલો થવાના કારણે ખેડૂતોના ખેતરમાં કરેલ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેથી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.






Latest News