મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ


SHARE







મોરબીના નવલખી રોડ પર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે સી હે ત્યારે હવે નવલખી રોડ પર આવેલા યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હાલમાં યમુનાનગર સીસાયટી, શ્રદ્ધા પાર્ક સીસાયટી અને બોડાસર વાડી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. અને આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. અને હાલ મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો રહેવા માટે આવે તેવી શક્યતા છે. જેથી હિન્દુઓ આ વિસ્તારમાં શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને સુખાકારી જળવાઈ રહે તેના માટે અન્ય ધર્મના લોકો ત્યાં વસવાટ કરવા ન આવે તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News