મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ
મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ
મોરબીના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે સી હે ત્યારે હવે નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલમાં યમુનાનગર સીસાયટી, શ્રદ્ધા પાર્ક સીસાયટી અને બોડાસર વાડી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. અને આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. અને હાલ મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો રહેવા માટે આવે તેવી શક્યતા છે. જેથી હિન્દુઓ આ વિસ્તારમાં શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને સુખાકારી જળવાઈ રહે તેના માટે અન્ય ધર્મના લોકો ત્યાં વસવાટ કરવા ન આવે તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.