ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ


SHARE











વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ

વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવ દરમિયાન આજે એમ્બ્યુરન્સ રેસ યોજાઇ હતી જેમાં 25 જેટલા ઘોડ સવારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ રેસની વિશેષતાએ હોય છે કે, ડુંગરાળ પ્રદેશની અંદર ઘોડા અને ઘોડ સવાર બંનેની પરીક્ષા થાય છે અને ત્યારબાદ તે રેસની અંદર વિજેતા ઘોડો અને ઘોડે સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે

વાંકાનેર શહેરમાં રણજીત વીલા પેલેસની બાજુના ગ્રાઉન્ડમાં ગઈકાલથી કામા અશ્વ રમત ઉત્સવ શરૂ થયેલ છે અને ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય વિગેરે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આજે સવારે 7:00 વાગ્યાથી કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓની એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રણજીત વિલા પેલેસ ખાતેથી આ રેસ શરૂ થઈ હતી જે ગઢિયા ડુંગરમાં કુલ 20 કિલોમીટર સુધી ફરીને રણજીત વિલાસ પેલેસ ખાતે જ પૂર્ણ કરવામાં આવી હતી

ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રેસમાં ઘોડો દોડે અને પહેલા નંબરે આવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એમ્બ્યુરન્સ રેસ ની અંદર તેવું નથી હોતું, આ રેસની અંદર ઘોડાઓને લઈને ઘોડ સવાર ડુંગરાળ અને પથ્થરાળ પ્રદેશની અંદર જતા હોય છે.અને ત્યાંથી પરત આવ્યા બાદ ઘોડાના હાર્ટબિટ, તેની હાલચાલ વિગેરે તમામ બાબતોનું વેટરનિટી ડોક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવે અને ત્યાર પછી વિજેતા ઘોડા અને ઘોડ સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે






Latest News