મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને રકમ ચૂકવવા આદેશ
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને રકમ ચૂકવવા આદેશ
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરાતા નામદાર કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છે કે નવાગામ વઘાસીયાના ઘુસાભાઈ તેની ગાડી લઇને વાંકાનેર તાલુકાના પંચાસર ગામ જતા હતા રસ્તામાં માછોરાના બેઠાપુલ ઉપર તેની ગાડીઅચાનક સળગી ગઇ તેમણે રીલાયન્સ જનબલ ઇન્સ્યુરન્સ કંપનીનો વિમો હતો તમામ કાગળો ગ્રાહકે રજુ કરેલ છ તા વીમા કંપનીએ રેપ્યુટ લેટર થી વીમો નામંજુર કરેલ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા કોર્ટે કહ્યુ કે ગ્રાહકે વીમો લીધો છે વીમા કંપનીની સેવામાં ખામી છે ફરીયાદીની ગાડીને પુરેપુરૂ નુકશાન થયેલ છે. માટે વીમા કંપનીએ ઘુસાભાઇ હકાભાઇ ડાભીને ૫,૫૦,૦૦૦ તા.૮/૧૧/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને ૫,૦૦૦ ખર્ચના ચુકવવા જો બે માસમાં રકમ ના ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હિત માટે લડત કરવી જોઇએ.કોઇપણ વ્યકિતને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨),ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપ પ્રમુખ હિતેષભાઇ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬) કે મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણવાયેલ છે.