મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી


SHARE











મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી

 

મૃતક યુવાને ઝેરી દવા પીધી હતી, સારવારમાં રાજકોટ ખાતે દમ તોડ્યો : પરિવારમાં આક્રંદ

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ બહેનના એકના એક ભાઈ 36 વર્ષીય વિપુલ વિડજાએ ઝેરી દવા પીધા બાદ સારવારમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે પ્રાથમિક તબક્કે જણાવ્યું કે, વિપુલના રૂપિયા કોઈ જગ્યાએ ફસાયા હતા. જેની પાસેથી રૂપિયા લેવાના હતા તેની પાસે અવાર નવાર ઉઘરાણી કરી હતી પણ રૂપિયા પરત મળ્યાં નહોતા. જેથી ચિંતામાં આવી જતા આ પગલું ભર્યું હોય તેમ બની શકે છે. જોકે, પોલીસે આત્મહત્યાનું સ્પષ્ટ કારણ શું છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો અને પરિવારજનોએ આપેલી વિગત અનુસાર, મુળ મોરબી તાલુકાનાં રાપર ગામના અને પાનનો ગલ્લો ચલાવતા વિપુલભાઈ ભગવાનજીભાઈ વિડજા (ઉંમર વર્ષ 36, રહે. હનુમંત એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર, મોરબી) એ ગત તા.14/12  ના રોજ સાંજે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા વિપુલને સારવાર અર્થે પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવતા અહીં સારવાર મળે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મોરબી પોલીસના સ્ટાફે મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. વિપુલ પાનનો ગલ્લો ચલાવતો. તેના આપઘાતના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ ત્રણ બહેનના એકના એક ભાઈએ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો






Latest News