વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!


SHARE











મોરબી જિલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો રવાપર ગામમાં..!

મોરબી જિલ્લામાં આજે 197 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના રવાપર ગામમાં ઉભેલા છે અને છ ઉમેદવારો સરપંચ પદ માટે આ ચૂંટણી લડી રહ્યા છે તેવા સમયે મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને વહેલી સવારથી જ રવાપર ગામના તમામ મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે લાઇનો લગાવી હતી.

મોરબી જિલ્લામાં કુલ મળીને 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકીના 71 ગામ સમરસ થઈ ગયા હતા અને ત્યારબાદ 232 ગામમાં હતા તે પૈકીના 35 ગામની અંદર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા જેથી કરીને આ ગામ સિવાયના કુલ મળીને 197 ગામની અંદર આજે સરપંચ અને સભ્યો માટે ચૂંટણીનું મતદાન ચાલુ છે તેનું મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ સમગ્ર જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી  છે ત્યા મૂકી દેવામાં આવ્યો છે હાલમાં જો વાત કરીએ તો મોરબી તાલુકાના રવાપર ગામની અંદર સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો છે જેથી કરીને હાલમાં તે છ ઉમેદવારોમાંથી ગામના સરપંચ ચૂંટવા માટે થઈને ગામના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે 7 થી રવાપર ગામના મતદાન મથકો ઉપર મતદારો દ્વારા મતદાન કરવા માટે લાઇનો લગાવવામાં આવી છે અને આગામી સમયમાં આ ગામના સરપંચ તરીકે જે કોઈ વ્યક્તિ ચૂંટાય તે ગામના વિકાસમાં અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરે તેવી લાગણી ગામના મતદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News