મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ


SHARE











મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ

મોરબીના હળવદ તાલુકામાં આવેલ શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા શ્રી હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુ ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવના અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ) ના સાથ-સહકારથી શિયાળાની કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી પણ વધારે ધાબળા તથા ૫૦૦ થી પણ વધુ સ્વેટરનું હળવદ તાલુકો, રણ વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.તેના ઉપલક્ષમાં શ્રી હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭ મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે.તે નિમિત્તે પ.પૂ.આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે,આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે ચાલુ જ હોય છે.




Latest News