ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો


SHARE











મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો

મોરબીમાં થોડા સમય પહેલા કોઈ કારણોસર ઘરે કોઈને કહ્યા વિના દુકાન ખાતેથી યુવાન ગુમ થઈ ગયેલ હતો.તે યુવાન હેમખેમ પરત ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની કુંભારશેરીમાં મહેન્દ્રપરા નજીક રહેતા સંજયભાઈ કાંતિભાઈ ભલસોડ (પ્રજાપતિ) નામનો ૩૮ વર્ષનો યુવાન તેની દુકાન ખાતેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતો.જે બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેની પોલીસ તપાસ કરતી હતી.દરમિયાનમાં ગુમ થયેલ સંજયભાઈ ભલસોડ હેમખેમ પરત ઘરે આવી ગયા હતા અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે ધંધામાં ગયેલી ખોટ અને દેણાને પગલે તે કંટાળી ગયા હોય પોતાની મરજીથી કામની શોધમાં રાજકોટ ચાલ્યા ગયા હતા.જે પરત આવી ગયેલ હોય હાલ પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.તેમ પોલિસસૂત્રોએ જણાવેલ છે.

પોલીસ કાર્યવાહી

મોરબીના મકરાણીવાસ પાસે નાની બજાર વિસ્તારમાંથી રેડ કરીને પોલીસે સમીર બ્લોચ પાસેથી ૯૪ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી પોલીસે પકડી હતી અને જેમાં જે તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી અને પકડાયેલી વ્યક્તિ દ્વારા જથ્થો આપનાર તરીકે જેનું નામ આપવામાં આવ્યું હતું.તે ચિરાગ સંજયભાઈ રાબડીયા (૨૫) રહે.ધોરાજી સ્ટેશન રોડ કોલેજ પાસે રામજી મંદિર સામે જી.રાજકોટને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રેન બસેરા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા પ્રીતમભાઇ મુકેશભાઈ જોશી નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા પાસે મોટો ગ્રેનાઇટો પાસે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ખટાણા નામના ૪૨ વર્ષીય યુવાનને મોરબીની વીસી હાઇસ્કુલ પાછળના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વણાંકમાં બાઈક સ્લીપ થઈ જતા અહેમદ અસ્લમભાઈ પાયક રહે.હરીપર તા.માળીયા મીયાણાને ઇજાઓ થતા સારવારમાં આયુષ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ નાની કેનાલ પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ રમેશભાઈ માધવજીભાઈ કાસુન્દ્રા (૪૭) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ સામે કંડલા બાયપાસ રોડને પણ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના રેલ્વે સ્ટેશન પાસેના વૃદ્ધાશ્રમ ખાતે રહેતા ચંપાબેન ગોપાલભાઈ પિત્રોડા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ વડે અત્રેની સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News